
ક્યારેક પૈસાની લેતી દેતીમાં, પ્રેમ પ્રકરણમાં એકબીજાની હત્યા કરી દેવામાં આવતી હોય છે.
રોજબરોજ સમાજમાંથી હત્યા આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે.
જેમાં એક માતાએ લગ્નના 11 વર્ષ બાદ તેના પાંચ વર્ષના દીકરાની હત્યા કરી નાખી. દીકરાની હત્યા કર્યા બાદ માતાએ પણ આપઘાત કરી લીધો હતો.
તો કેટલાક લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. સુરત જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
જાણવા મળ્યું કે પતિ પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.
આ ઘટના વધુ વિગતે જાણીએ તો સુરત જિલ્લાના વેર રોડ વિસ્તારના અખંડ આનંદ કોલેજ પાસે આવેલી શિવ છાયા સોસાયટીના પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશ ઝાંઝમેરા કે જે કલાકાર તરીકે કામ કરે છે.
અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે તેની પત્ની સાથે અને તેના બે બાળકો સાથે એપાર્ટમેન્ટમાં રહે છે.

આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને માતા પુત્રની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી દીધી હતી અને મૃતક માતા ઉપર દીકરાના હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આથી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પતિ પત્ની વચ્ચેના ઝઘડાને લઈને પત્નીએ આવેશમાં આવીને પહેલા તેના નાના પાંચ વર્ષના દીકરા દેવાંગના ગળાફસો આપી અને તેની હત્યા કરી નાખી અને બાદમાં માતાએ પણ આપઘાત કરી લીધો હતો.
આવી ઘટના રોજબરોજ આવવી સામાન્ય થઈ ચૂકી છે. લોકો નાની એવી વાતોમાં આવું મોટું પગલું ભરી લેતા હોય છે.
અને વધુ તપાસ હાથ ધરી હતી. પરિવારના માથે આવી મહામુસીબત આવી પડતા પરિવાર દુઃખના દરિયામાં ગરકાવ થઈ ગયો છે. ચોકાવનારી ઘટના સામે આવતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!